Today


Advertise Your Site with us for Just $0.05 per 1000 impressions!

Surat News : SuratTimes.com

ધાડ પાડવાની તૈયારી કરતાં ૫ ઝડપાયા

સચિનના તલંગરોડ પર કેટલીક વ્યક્તિઓ ધાડ પાડવાની તૈયારી કરી રહી હોવાની બાતમીના આધારે પોલીસે ત્યાં દરોડો પાડીને પાંચ આરોપીઓને ઝડપી પાડયા હતા. આરોપીઓ પાસેથી ઘાતક હથિયારો અને મરચાની ભૂકી પણ પોલીસે કબજે લીધી હતી. પાંચેય આરોપીઓ રીઢા ગુનેગાર છે...

ઘવાયેલા સૈયદે સારવારના ૨.૭૫ લાખ પણ ઘરના ભોગવવા પડયા

મોકડ્રિલમાં ડીસીપી ત્રિવેદીએ કરેલા ફાયરિંગના કારણે એટીએસના અધિકારી સૈયદને ઘણી બધી રીતે તકલીફ ભોગવવી પડી રહી છે. જીવના માથે ઊભું થયેલું જોખમ માંડ ટળ્યું તો હવે સારવાર બદલ હોસ્પિટલે આપેલું પોણા બે લાખનું બિલ સૈયદે ભોગવવાનો વારો આવતાં...

કેબલ સ્ટેઈડ બ્રિજના મુદ્દે સ્થાયી ચેરમેનના બફાટથી નવો વિવાદ

શહેરના પડતર પ્રશ્નોની રજૂઆત માટે શહેરી વિકાસ પ્રધાન નીતિન પટેલની મુલાકાતે ગયેલા શહેર ભાજપના પ્રતિનિધિ મંડળની બેઠક પૂરી થઇ ગયા બાદ સ્થાયી સમિતિના ચેરમેન મુકેશ દલાલે ડહાપણ કરી અઠવા-અડાજણ કેબલ સ્ટેયડનો મુદ્દો ઉઠાવતા નવો વિવાદ શરૃ થઇ ગયો છે.

મોત કેસમાં પરિવારને રૃા. ૨.૭૦ લાખના વળતરનો કોર્ટનો આદેશ

ગોધરામાં ૧૬ વર્ષના કિશોરના અકસ્માતમાં થયેલા મોત બાદ પરિવારે કરેલા વળતરના દાવાને અંશતઃ માન્ય રાખીને કોર્ટે રૃા. ૨.૭૦ લાખનું વળતર ચૂકવવા માટે આદેશ કર્યો હતો.

નશાના ઓવરડોઝથી પાગલ બનેલા યુવકે લાલદરવાજામાં તોફાન મચાવ્યું

લંબે હનુમાન રોડ પર પાટીચાલમાં રહેતા એક યુવકે કોઈ માદક પદાર્થનો ઓવરડોઝ લઈ લેતા તે પાગલ જેવો બની ગયો હતો. શાનભાન ગુમાવી બેસેલા લાલદરવાજા વિસ્તારને માથે લીધો હતો. તે આવતા-જતા લોકો પાછળ લાકડી લઇને દોડતાં...

Valsad-Navsari-Ahwa News : SuratTimes.com

બસના ધાંધીયાને પગલે ચાર વિર્દ્યાિથનીનું ભાવિ અદ્ધરતાલ

ચીખલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં એસ.ટી.તંત્રની કથળેલી પરિઙ્ઘિસ્થતનો ભોગ આજે ચાર જેટલી અઙ્ઘાદિવાસી વિર્દ્યાિથનીઓ બની હતી. બામણવાડા ગામની આમધરા હાઇસ્કૂલમાં અભ્યાસ કરતી ચાર આદિવાસી વિર્દ્યાિથનીઓ ચીખલી ઈટાલિયા કેન્દ્રમાં એસટીના પાપે મોડી પહોંચતા પરીક્ષા આપી શકી ન હતી.

રોહિણા આશ્રમશાળાની વિદ્યાર્થિની પર બળાત્કાર કેસમાં નવો ફણગો ફૂટયો

પારડી તાલુકાના રોહિણા ગામની આશ્રમશાળાની ૧૧ વર્ષીય વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજારી કુંવારી માતા બનાવવાના ચકચારી પ્રકરણમાં પોલીસે પકડેલ આ.શા.ના રસોઇયાનો ડી.એન.એ. ટેસ્ટ નેગેટીવ આવ્યા બાદ આજરોજ આ પ્રકરણમાં આવેલા આંચકાજનક વળાંકમાં...

દાદરા નગરહવેલીમાં એન્ટી કરપ્શન વિંગની તપાસથી ફફડાટ

સંઘપ્રદેશ દાદરા નગરહવેલીમાં સી.બી.આઇ.ને પ્રાપ્ત થયેલી ફરિયાદોને પગલે એ કેન્દ્રીય એજન્સીની એન્ટી કરપ્શન વિંગની સક્રીયતા અત્રે વધી રહેલી જણાઇ છે. અગાઉ જીલ્લા પંચાયતનાં કાર્યપાલક ઇજનેર તથા સેલ્વાસ મ્યુનિસીપલ કાઉન્સીલનાં ચીફ ઓફિસરનો બેવડો કાર્યભાર ધરાવતા...

મગોદડુંગરીના તરૃણે ગંભીર ઈજા છતાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચી પરીક્ષા આપી

વલસાડ તાલુકાના મગોદડુંગરી ગામના ધો.૧૨ સામાન્ય પ્રવાહના એક વિદ્યાર્થી મૃત દાદાની અગિયારમાંની વિધિનો સામાન લેવા માટે આજરોજ સવારે મોટરસાયકલ પર જઇ રહ્યો હતો. તે દરમ્યાન તેને અકસ્માત નડતા પગમાં ગંભીર ઇજા પહોંચી હતી.

એંધલમાં ટ્રાન્ફોર્મરમાંથી ઓઈલ ચોરી કરનારા ચાર રિમાન્ડ પર

ગણદેવી તાલુકાના એંધલ ગામે ઇલેકટ્રીક ટ્રાન્સફોર્મરમાંથી ૮૦ લીટર ઓઇલની ચોરી કરનારા ચાર શખ્સો  પકડાઈ જતા તેઓને ગણદેવી કોર્ટમાં રજુ કરી રીમાંન્ડની માંગણી કરાય હતી. કોર્ટે આ આરોપીના એક દિવસના રીમાન્ડને મંજૂરી આપી હતી.


Advertise Your Site with us for Just $0.05 per 1000 impressions!

Ahmedabad News : SuratTimes.com

ટુકડાની જમીન હવે કોઇપણ ખાતેદાર ખેડૂત ખરીદી શકશે

ટુકડા ધારા હેઠળ વારસાઇ જમીનોમાં ઊભા થતાં વિખવાદો અને વિવાદોને દૂર કરવા તેમજ જે ખાતેદારો પોતાનો વારસાઇ હક્ક જતો કરે તો પણ તેને ખેડૂત તરીકેનું પ્રમાણપત્ર આપવા સહિતના અનેક મહેસૂલી સુધારા રાજ્ય સરકારે કર્યા છે તેમ કહીને મહેસૂલમંત્રી આનંદીબેન પટેલે...

રાજેશ અદાણીને જામીન સામે પડકાર

કસ્ટમ્સ ડયુટીની ચોરીના કેસમાં સીબીઆઈની ધરપકડના ગણતરીના જ કલાકોમાં અને રજાના દિવસ હોવા છતાં અદાણી જૂથના રાજેશ અદાણીને જે રીતે વચગાળાના જામીન આપવામાં આવ્યા તેની કાયદેસરતાને પડકારતી એક જાહેર હિતની અરજી હાઈકોર્ટમાં દાખલ થઈ છે...

રૃપેશ શાહ સામે ફોર્જરી કેસ ૮ ઉદ્યોગપતિઓને સમન્સ

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના વહીવટ પર સ્થાપિત હિતોનો દોરીસંચાર જળવાઈ રહે તેવો કારસો ઘડી પ્રમુખ રૃપેશ શાહે ચેમ્બરના બંધારણમાં જે ચૂંટણીલક્ષી સુધારાઓ કરાવી લીધા હતા તે કારસ્તાનનો ભોગ રાજ્યના આઠ અગ્રણી ઉદ્યોગપતિઓ બન્યા છે. રૃપેશ શાહ સામે...

ઔડા હવે કોઈપણ પ્લાન ૩૦ દિવસમાં મંજૂર કરશે

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) દ્વારા હવે કોઈપણ પ્લાન ૩૦ જ દિવસમાં મંજૂર કરવામાં આવશે તેમ ઔડાના ચેરમેન ધર્મેન્દ્ર શાહે  જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, દહેગામ ગ્રોથ સેન્ટર વિસ્તારમાં ઔડા દ્વારા ર.પ૧ કરોડના ખર્ચે વિકાસના કામો તાકીદે હાથ ધરવામાં આવ્યા છે.

Baroda News : SuratTimes.com

આજે વિશ્વ કિડની દિવસ કિડનીના રોગ વર્ષે ૧૮૦૦ શહેરીજનોને ભરખી જાય છે

કિડનીનાં રોગો અંગે જાગૃતતા આવે તે હેતુથી માર્ચ મહિનાના બીજા ગુરૃવારે વિશ્વ કિડની દિવસની ઉજવણી કરવામાં આવે છે. કિડનીના રોગ માટે પ્રીવેનશન ઇઝ બેટર ધેન કયોરનું સૂત્ર ખરેખર લાગુ પડે છે. કિડનીનો રોગ લાગુ....

મચ્છરોનો ત્રાસ દૂર કરવા સંસદીય સચિવની મ્યુ. કમિશનરને તાકીદ

શહેરમાં ફેલાયેલા મચ્છરોના ત્રાસને દૂર કરવા માટે સંસદીય સચિવ યોગેશ પટેલે મ્યુ. કમિશનર એમ.કે. દાસને તાકીદ  કરી છે. તેમજ આ સાથે પક્ષાપક્ષીના રાજકારણને બાજુ પર મુકીને #039;મચ્છર ભગાવો#039; અભિયાન શરૃ કરવા...

બોગસ નોટિસકાંડમાં તપાસનો આદેશ : દોષિતોની ખેર નથી

શહેરના કુબેર ભુવન ખાતે આવેલી મુખ્ય સબ રજિસ્ટ્રારની કચેરીના સહી સિક્કાવાળી બોગસ નોટિસો ઈશ્યુ કરીને બિલ્ડર પાસેથી રૃપિયા પડાવી લેવાના કૌભાંડનાં થયેલા પર્દાફાશના સંદર્ભમાં તપાસ કરવાના જિલ્લા કલેકટર વિજય...

સૂર્યાસ્ત બાદ પશ્ચિમ દિશામાં અદભૂત અવકાશી નઝારો

હાલ સૂર્યાસ્ત થવાના સમયે અંધારૃ થતા ગ્રામ્ય વિસ્તારના લોકોને પશ્ચિમ દિશામાં એક અદ્ભૂત આકાશી નઝારો જોવા મળી રહ્યો છે. ખગોળશાસ્ત્રમાં ઝોડિયાકલ લાઈટ તરીકે ઓળખાતાં આ રાશિ પ્રકાશના નઝારો એ નરી આંખે જોઈ...

બોગસ બાનાખત કૌભાંડ : સ્ટેમ્પ વેન્ડર નીતિન શાહના ઘરેથી ૧૯૭ સ્ટેમ્પ કબજે

શહેરની જમીનોમાં બોગસ બાનાખત ઉભા કરવાના પ્રકરણમાં માસ્ટર માઈન્ડ યુસુફ કડિયાને જૂના સ્ટેમ્પ પેપરો પૂરા પાડવાના આરોપ હેઠળ ધરપકડ કરાયેલાં સ્ટેમ્પ વેન્ડર નીતિન શાહના કારેલીબાગ વિસ્તારમાં આવેલા નિવાસસ્થાને...

Rajkot News : SuratTimes.com

આખરે, એક જમીન કૌભાંડમાં ગૂનો નોંધતી રાજકોટ પોલીસ

રાજકોટ તથા આસપાસનાં ગામોમાં ભોળા, અશિક્ષિત ખેડૂતોને ભોળવી જમીનના સોદા પેટે સુથી (ટોકન)માં નહીવત રકમ આપી કરોડો રૃપિયાની જમીન પડાવી લેતી ભુમાફીયા ગેંગ પૈકીની એક ટોળકી સામે આજે નવા થોરાળા પોલીસ મથકમાં ગુનો...

જમીન કૌભાંડોમાં ભેજાબાજ વકિલોની પણ વરવી સિન્ડિકેટ

રાજયમાં કદાચિત સૌથી વધુ જમીન કૌભાંડ રાજકોટમાં થાય છે. આની પાછળ પોલીસની નિષ્ક્રીયતા, આડકતરી ભાગીદારી કે રાજકીય શેહશરમ તો કારણભૂત છે જ, પરંતુ આવા કૌભાંડિયાઓને પાયાથી પોષવામાં ભૂંડી ભુમિકા ભજવે છે, કેટલાક વકિલોની સિન્ડિકેટ.

વ્યસન મૂક્તિનો કાર્યક્રમ ૨૦ મિનિટમાં જ આટોપી લેવાયો

ર્સ્વિણમ જયંતી વર્ષ નિમિતે મહાપાલિકા દ્વારા યોજતા કાર્યક્રમો માત્ર દેખાડા પૂરતા જ થતા હોય એવુ આજે ઉપલાકાંઠે યોજાયેલા વ્યસનમૂક્તિના એક કાર્યક્રમ પરથી જણાતુ હતુ. આ કાર્યક્રમના આયોજન પાછળ મોટો ખર્ચ કરવામાં આવ્યો હતો પણ તેની સામે કાર્યક્રમ માત્ર ૨૦ મિનિટમાં જ આટોપી લઈ મનપાના પદાધિકારીઓ રવાના થઈ ગયા હતા.

પાઈપ લાઈનથી ગેસ મળવો શરૃ ન થતાં કચેરીમાં હંગામો

રાજકોટમાં જી.એસ.પી.સી. દ્વારા પાઈપ લાઈન મારફત અપાતા ગેસમાં છેલ્લા કેટલાય સમયથી લોલમલોલ ચાલે છે. ચંદન પાર્ક, સોમનાથ સોસા., શાંતિ નિકેતન પાર્ક, કીડવાઈનગર અને ગાંધીગ્રામ વિસ્તારમાંથી અનેક લોકોએ લાંબા સમયથી જીએસપીસીમાં....

Advertise Your Site with us for Just $0.05 per 1000 impressions!

Gujarat